સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇટાવડી ગામે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે મુલાકાત લીધી

આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી એ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇટાવડી ગામની પાવન ધરતી પર શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે બાપા સુકદેવજી ધામના દર્શન કરી આશીર્વાદ લીધા તેમજ રાજ્યની સુખ શાંતિ, જનસુખાકારી અને લોકકલ્યાણ માટે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું.

મહંતશ્રી જગનાજી બાપુના આશીર્વાદ લીધા.
મંદિરમાં ચાલી રહેલી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી તેમજ સૌએ ફૂલછડી અને સાલ દ્વારા સ્વાગત કર્યું તેમાં શ્રીમતી રમીલાબેન બારા (પૂ.સાંસદ રાજ્યસભા), શ્રી દિપસિંહ રાઠોડ (પૂ.સાંસદ રાજ્યસભા), શ્રી કનુભાઈ પટેલ (જિલ્લા ભાજપ પ્રમુખ), શ્રી અશ્વિનભાઈ કોટવાલ (પૂર્વ ધારાસભ્ય), શ્રીમતી રીનાબેન પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ), શ્રી પ્રેમલભાઈ દેસાઈ (જિલ્લા મહામંત્રી) શ્રી ડૉ.પરેશ પટેલ (વિજયનગર ભાજપ પ્રમુખ) કિરીટભાઈ સડાત (મહામંત્રી), શૈલેષભાઈ બારા (તાલુકા પંચાયત પ્રમુખ), ડૉ. હિતેશભાઈ પટેલ (કારોબારી અધ્યક્ષ વિજયનગર), શ્રી હરીશભાઈ પટેલ (જી. સદસ્ય), શ્રી મયુરભાઈ શાહ(જી. સદસ્ય) તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, સંગઠન ટીમ, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ ગામજનો તેમજ સૌ પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યાં.



















ભારતીય જનતા પાર્ટી વિજયનગર
પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર
તંત્રી -શ્રી નટવરભાઈ પરમાર કાલવણ વીજલાસણ
ઝલક ગુજરાતી ન્યૂઝ


