વિજયનગર માં વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કરવામાં આવ્યું.

આજ રોજ વિજયા દશમી નિમિત્તે વિજયનગર માઈ મંડળ દ્વારા એમ. એચ. હાઈસ્કૂલ નાં મેદાન માં રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ ને માણવા વિજયનગર તાલુકા ની ધર્મ પ્રેમી જનતા આવે છે.

વિજયનગર માઈ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.મંડળ પ્રમુખ રણવઘીરસિંહ સીસોદીયા નાં માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજાયો હતો રાવણ ને બનાવવા માટે કમલેશભાઈ દરજી અને એમની પુરી ટીમે ભારે મહેનત કરી હતી.

રાવણ દહન કાર્યક્રમ માં કોઈ અનિચ્છનીય ઘટના નાં બને એના માટે ફાયર બ્રિગેડ ખેડબ્રહ્મા ની ટીમ તેમજ વિજયનગર પોલીસ નો સ્ટાફ psi અર્જુનભાઈ જોશી સાહેબ તેમજ psi ડી. એમ. વસાવા સાહેબ હાજર રહયા હતા.

રાવણ દહન ખરાડી લક્ષમણ ભાઈ pi મોજાળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર